Skip to content
AllinGujarati

AllInGujarati

 Information at It's Purest

  • હોમ
  • આયુર્વેદ
  • સાહિત્ય
  • રોચક તથ્ય
  • જીવજંતુ
  • ધાર્મિક-આધ્યાત્મિક
  • હેલ્થ
  • વિજ્ઞાન અને ટેક્નોલોજી
  • આપણો ઇતિહાસ
  • View More
    • Current Affairs
    • જોક્સ
    • વાનગીઓ
    • મનોરંજન
    • Uncategorized
  • Toggle search form
Jaswant-SIngh-Rawat

ધ હીરો ઓફ નેફાઃ જશવંતસિંહ રાવત-MVC (1941-1962)

Posted on August 19, 2022 By wardaddy No Comments on ધ હીરો ઓફ નેફાઃ જશવંતસિંહ રાવત-MVC (1941-1962)

વિશ્વના લશ્કરી ઇતિહાસમાં એકમાત્ર અજોડ દૃષ્ટાંત 19/8/1941નાં રોજ જન્મનાર રાઇફલમેન જશવંતસિંહ રાવતનું છે.

જેમની શહીદીને 60 વર્ષ વીતી જવા છતાં એક સિપાહીને મળવાપાત્ર પગાર, પેન્શન, હોદ્દા પ્રમાણે ડ્રેસ, તેમનાં મેમોરિયલ્સ અને તેમનાં ચંદ્રકો, બુટ અને બેલ્ટનું પોલિશ નિયમિત થાય છે, પગાર મળતો અને અત્યારે પેન્શન મળે છે. પદોન્નતિ મુજબ અત્યારે તેઓ રાઇફલમેનમાંથી મેજર જનરલ બન્યા છે. નુરાન્ચ પોસ્ટ પર પોસ્ટિંગ મેળવનાર ઓફિસર-સૈનિક તેમના મેમોરિયલનાં દર્શને જઇ પછી ફરજ પર હાજર થાય છે.

Jaswant Sing Rawat Memorial

1962નાં ઓક્ટોબર-નવેમ્બરનાં ભારત- ચીન યુદ્ધ દરમિયાન નુરાન્ચ પોસ્ટ પર ચોથી ગઢવાલ રાઇફલ્સમાં ફરજ બજાવતા તેઓને સૈન્યમાં એક વર્ષ થયું હતું.

તેઓને વડામથકેથી વ્યૂહાત્મક પીછેહઠનો આદેશ મળ્યો છતાં, એકલે હાથે સતત 72 કલાક સુધી તેઓએ પોસ્ટ શત્રુના કબજામાં ન જાય એવી લડાઈ આપી. ત્રણ દિવસ એમણે અલગ અલગ પોઝિશન પરથી ફાયરિંગ કરી 300 ચીની શત્રુઓને યમસદન પહોંચાડી, છેલ્લી બુલેટથી જાતે 17-11-1962નાં રોજ શહીદ થયાં હતા.

સરકારે ભારતનાં આ પનોતા સપૂતનું મહાવીર ચક્ર પ્રદાન કરી વીરોચિત સન્માન કર્યુ હતું.

આપણો ઇતિહાસ, રોચક તથ્ય

Post navigation

Previous Post: ધ મેન વીથ આર્યન નર્વ: પેશ્વા બાજીરાવ – ૧ (૧૭૦૦-૧૭૪૦)
Next Post: મખાના શું છે? મખાનાના ફાયદા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *


The reCAPTCHA verification period has expired. Please reload the page.

એન્ડ્રોઈડ એપ ડાઉનલોડ કરો

Our Visitors

010507
Users Today : 9
Views Today : 19
Total views : 30712
Who's Online : 1
Server Time : 2025-06-30

Copyright © 2025 AllInGujarati.

Designed and Maintained by Trimurti Developers